

Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.
નમસ્કાર
સમગ્ર ગુજરાતી રાણા સમાજ
પાટણ રાણા સમાજ ના પ્રમુખ અનેં કાર્યકર્તા તરફ થી રાણા સમાજ ના તમામ જ્ઞાતિ બંધુઓને નમસ્કાર.
પાટણ રાણા સમાજ વર્ષ દરિમયાન ઘણા બધા કાર્યક્રમ નું આયોજન કરે છે. તેમાં ના મુખ્ય ગણેશ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ , જન્માષ્ટમી મહોત્સવ પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ છે.
આ બધી પ્રવૃતિઓ માં રાણા સમાજ ના જે લોકો સહભાગી બન્યાં છે તથા આર્થિક રીતે અમને મદદ કરીં છે તે દરેક નો પાટણ રાણા સમાજ ખૂબ ખૂબ આભાર માને છે.
છેલ્લા ૧૫ વર્ષ થી પાટણ રાણા સમાજ દર વર્ષે પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરે છે.
દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પાટણ રાણા સમાજ વીજળકૂવા યુવક મંડળ દ્વારા પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરેલ છે તેમાં આપ સૌ ને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ સહભાગી બનો એવી અપેક્ષા.
પગપાળા યાત્રા સંઘ તા. ૦૧/૧૧/૨૫ શનિવાર કારતક સુદ દશમ ના રોજ પાટણ થી પ્રસ્થાન થશે.
ત્યાર બાદ ડેર, સિદ્ધપુર, છાપી ,વડગામ ,જલોત્રા, દાંતા અને ત્યાર બાદ કારતક સુદ ચૌદસે અંબાજી પહોંચશે. અને
તારીખ ૫/૧૧/૨૫ બુધવાર કારતક સુદ પૂનમ ના દિવસે માતાજીના ગબ્બર પર ધજા આરોહણ કરવાનું આયોજન કરેલ છે.
પાટણ રાણા સમાજ તરફ થી રાણા સમાજ ના દરેક જ્ઞાતિ બંધુઓને હાર્દિક આમંત્રણ છે.
આભાર…..




