
તા.૧૧-૫-૨૦૨૬ સોમવાર બપોરે ૧૨-૦૦ દરમ્યાન ઉનાળાની કાળ ઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિ:શુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રીમનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી પરિવારના પરિજનો,જાયન્ટ્સ ગૃપ,લાયન્સ ક્લબ જોધપુર હીલના હોદ્દેદારો, નવાવાડજ વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અનિતાબેન મૂકેશભાઈ પટેલ,નિધિ જયદિપ વાધેલા,રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ,વિરાટ જનકરાય પુરોહિતની ઉપસ્થિતમાં અને ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ-એમ્બ્યુલન્સ સ્ટાફ તથા શ્રીપંકજભાઇ જોષીના સહયોગમાં આયોજન ગાયત્રી હોસ્પિટલ,ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,કિરણ પાર્ક,નવાવાડજ ખાતે રાખેલ હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ છાશનો સ્વાદ માણ્યો હતો.ઠંડી છાશની સેવા હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાને પણ પ્રદાન કરવામાં આવી હતી.તેમજ સદ્ સાહિત્ય,ગાયત્રી મંત્ર લેખન બુકનું નિ:શુલ્ક વિતરણ સાથે રાહત દરે ડઝનના રુ.૨૨૦/-ના ભાવે વિદ્યાર્થીઓ માટે ફુલસ્કેપ ચોપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રુપના શ્રી બળદેવભાઈ પટેલ,ડોક્ટર ભીખાભાઈ પટેલ,ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ, મનોજભાઈ ત્રિવેદી તથા લાયન્સ ક્લબના ગીરીશભાઈ પટેલે હાજર રહી સેવા પ્રધાન કરી હતી.

તા.૧૧-૫-૨૦૨૬ સોમવાર બપોરે ૧૨-૦૦ દરમ્યાન ઉનાળાની કાળ ઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિ:શુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રીમનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી પરિવારના પરિજનો,જાયન્ટ્સ ગૃપ,લાયન્સ ક્લબ જોધપુર હીલના હોદ્દેદારો, નવાવાડજ વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અનિતાબેન મૂકેશભાઈ પટેલ,નિધિ જયદિપ વાધેલા,રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ,વિરાટ જનકરાય પુરોહિતની ઉપસ્થિતમાં અને ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ-એમ્બ્યુલન્સ સ્ટાફ તથા શ્રીપંકજભાઇ જોષીના સહયોગમાં આયોજન ગાયત્રી હોસ્પિટલ,ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,કિરણ પાર્ક,નવાવાડજ ખાતે રાખેલ છે જેની સેવા હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાને પણ પ્રદાન કરવામાં આવશે તેમજ સદ્ સાહિત્ય,ગાયત્રી મંત્ર લેખન બુકનું નિ:શુલ્ક વિતરણ સાથે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું ડઝનના રુ.૨૨૦/-ના ભાવે વિદ્યાર્થીઓ માટે ફુલસ્કેપ ચોપડાનું પણ વિતરણ રાખેલ છે.





